Home> Gujarat
Advertisement
Prev
Next

એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી

જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે. 

એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી

હિતલ પારેખ, ગાંધીનગર: સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. એવામાં જાણવા મળ્યું છે કે જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે. 

fallbacks

Big Breaking: સાવલી BJPમાં ભડકો, નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યોના રાજીનામા પડ્યા

જો કે વાતચીતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડો.દીપક પરમારે દાવો કર્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખની તબિયત સારી છે. તેમને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ડોક્ટરે  વાઘાણીને સિઝનલ શરદી ખાંસી થઈ હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. 

fallbacks

BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી

સાવલીના એમએલએ બાદ નગરપાલિકાના સભ્યોના પણ રાજીનામા
 બુધવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યાં. બપોરે 12 કલાકે સાવલી સંગઠનના હોદ્દેદારો રાજીનામું આપશે. 

EXCLUSIVE: કેતન ઈનામદારનું કેમ પડ્યું રાજીનામું? હવે સાચું કારણ આવ્યું સામે

અત્રે જણાવવાનું કે આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે Zee 24 Kalak સાથેની વાતચીતમાં સૌરભ પટેલે અનેક મહત્વના ખુલાસા કરતા રાજીનામાનું સાચું કારણ પણ સામે આવ્યું છે. 

જુઓ LIVE TV

રાજીનામાનું સાચું કારણ
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે એકાએક રાજીનામું ધરી દેતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ હાઈકમાન્ડ હવે કેતન ઈનામદારને મનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે zee ૨૪ kalakએ એ સત્ય શોધી કાઢ્યું કે આખરે રાજીનામું આપવા પાછળ સાચું કારણ શું છે? ખાસ કરીને સાવલી નગરપાલિકાનું લાઈટ કનેક્શન કપાઈ જતા તેને ફરી શરુ કરવા ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે કેતન ઇનામદારે વાત કરી હતી અને સૌરભ પટેલે નિયમ બતાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More